અયોધ્યામાં રામમંદિર નિર્માણ શરુ થયાનો હર્ષ દેશના તમામ રાજયોમાં વસતા લોકોને થયો હોય પરતું અમદાવાદીઓને ડબ્બલ હર્ષ થવો જોઈએ કારણ કે રામ મંદિરની ડિઝાઈન બનાવનાર ચંદ્રકાન્ત સોમપુરા અમદાવાદના વતની છે !

૧૯૮૯માં અશોક સિંઘલ સાથે રામજન્મભુમિની મુલાકાત લઈને તેની જમીનની માપણી કરી ૪૭ વરસના યુવાન ચંદ્રકાન્તભાઈએ મંદિરની પ્રાથમિક ડિઝાઈન બનાવી હતી અને અયોધ્યામાં પથ્થરો ઘડવાનું કામ શરુ કરાવ્યું હતું !
ચંદ્રકાન્તભાઈએ ૧૯૮૯માં બનાવેલી ડિઝાઈન પુર્વ કાળ બનતા મંદિરો જેવી હતી પણ હવે નિર્માણ પામનારા ત્રણ માળના, પાંચ ગુંબજવાળા ૧૬૧ ફુટ ઊંચા,અને ૩૬૦ x૨૩૫ ચોરસ ફુટમાં પથરાયેલા રામમંદિરની ડિઝાઈન ચંદ્રકાન્તભાઈના પુત્ર આશિષ અને નિખીલે પિતાના સલાહ સુચન મેળવીને બનાવી છે !
કહેવાય છે કે આ મંદિર વિશ્વમાં ત્રીજા નંબરનું વિશાળ મંદિર બનશે !
પદ્મશ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ સોમપુરાનો પરિવાર વરસોથી મંદિરોની ડિઝાઈન તૈયાર કરવાની કામગીરી કરે છે !
૧૯૪૯માં સોમનાથ મંદિરના જીર્ણોધ્ધાર પછી આ પરિવારે અનેક મંદિરોની ડિઝાઈન રયી છે,ત્યારપછી અનેક મંદિરોની ડિઝાઈન કરી
જેમાં મુંબઈ- કલ્યાણ ખાતેના વિઠોબા મંદિર,દાદર સ્વામીનારાયણ મંદિર,યુપી-રેણુ ખાતેના રેણુકોટેશ્વર મહાદેવ,મથુરા ખાતેના કૃષ્ણ જન્મસ્થાનમ્ મહારાષ્ટ્ર -ચાપાલ ખાતેના રામમંદિર,દિલ્હી ખાતેના રામમંદિર, કોલકત્તા ખાતેના બિરલા મંદિર,ગુજરાત ગાંધીનગર ખાતેના અક્ષરધામ,અંબાજી માતા મંદિર,ડભાણ ખાતેના અક્ષર પુરુષોત્તમ મંદિર,અમદાવાદના રાણી શકતિ મંદિર,બરોડા ખાતેના લક્ષ્મીનારાયણ મંદિર અને ગ્વાલિયર ખાતેના સુર્ય મંદિર વિગેરે એમ ૨૦૦ ઉપરાંત મંદિરોની ડિઝાઈન બનાવવામાં સોમપુરા પરિવાર અગ્રેસર છે !
શ્રી અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયના મોટાભાગના મંદિરોની ડીઝાઈન સોમપુરા પરિવારે કરી છે,
લંડન ખાતેના BAPS મંદિરની ડીઝાઈન માટે તેઓને ૧૯૯૭નો Best Architect of the year નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો !
હાલ Covid -19 ના કારણે ૭૮ વરસના ચંદ્રકાન્તભાઈએ રામ મંદિર શિલાન્યાસની વિધી ઘરમાં બેસી પરિવાર સાથે ટીવી પર જોઈ હતી પણ તેમના બન્ને પુત્રો અયોધ્યા ખાતે હાજર રહ્યા હતા !
આ સોમપુરા પુત્રો જણાવે છે કે મંદિરના બાંધકામનો કોન્ટ્રાકટ Larsen and Toubroને આપવામાં આવ્યો છે અને ત્રણ સાડા ત્રણ વરસના અંતે મંદિર ખડું થઈ જશે !
સોમપુરા પરિવાર એટલે મંદિર બાંધતો પરિવાર તેઓએ બનાવેલા તમામ મંદિરો સુંદર છે પરતું તેમાં પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ અને અયોધ્યામાં નિર્માણ પામતું રામ જન્મ ભુમી મંદિર સદાય ઐતિહાસીક દરજ્જો ધરાવશે !
દુનિયામાં કયાંય પણ સુંદર મંદિર બને એટલે તે તેમાં સ્થાપિત
દેવ-દેવીના નામે તે પ્રચલિત થાય પરતું તે મંદિરના બાંધકામમાં તેની ડિઝાઈન તૈયાર કરનાર તેના પ્રત્યેક પથ્થર પર ઝીણી કોતરણી કરનાર અને તેના દરેક થાંભલાને ગોઠવનાર એવા અનેક શિલ્પીઓ,કર્મચારીઓ ,કારીગરો,શ્રમિકો ભુલાઈ જતાં હોય છે.
ચિત્રકાર તેના ચિત્રના ખુણા પર તેનું નામ લખી નાંખે,પુસ્તક લખનાર પુસ્તકના પુંઠાં પર,અને ભજન રચયિતા ભજનની છેલ્લી કડીમાં તેનું નામ લખી નાંખતો હોય છે, ફિલ્મ નિર્માતા અને તેમાં કામ કરતાં લોકોના નામ ફિલ્મની પટ્ટી પર લખાઈ જાય તેવું શિલ્પો,મંદિરો કે અન્ય સુંદર બિલ્ડીંગ કે સ્થાપત્યો માટે થતું નથી !
હકિકતમાં દરેક બેમિસાલ સ્થાપત્ય પાસે તેની રચના કરનારના નામનું એક બોર્ડ મુકવાની પ્રથા હોવી જોઈએ !
Source: facebook page