નરેન્દ્ર મોદી સાહેબે 21 દિવસ નું lockdown જાહેર કર્યું છે ગુજરાત માં એટલે અમારે વડોદરા શહેર માં પણ કરફૂયું જેવું જ વાતાવરણ છવાયેલું છે. Society, ગલી, નાકે બધુ જ બંધ. ઊંચી ઊંચી બીલ્ડીંગ, બધું ભેંકાર જાણે. રસ્તાઓ પર એક ચકલી કે લારી પણ ફરતી ન દેખાય. બધા પાંજરા માં પુરાઈ ગયા હોય એમ ઘર માં પુરાય ને બેઠા છે.
સરકાર ની તરફેણ કરવી જરૂરી અહીં,એમણે લોક સેવા ના કેન્દ્રો અમુક સમય માટે ચાલુ રહેશે અને રોજીંદી જરૂરિયાત ની વસ્તુ મડી રહશે એમ જાહેર કર્યું. આજે એક વીક થી બધા પોત પોતાના ઘર માં પુરાઈ ને બેઠા છે અને મી-ટાઈમ ને માંણી રહ્યા છે. ઘણા પોતાની ફેમિલી સાથે સમય વિતાવી રાહયા છે.
બપોરે કામ પતાવી ને રસોડા ની બારી માંથી બહાર નજર કરી, જોયું કે ગાય ઝાડ ના પાન ખાતી હતી. સોશ્યિલ ડિસ્ટન્સ ના કારણે બધા ના ઘર ના દરવાજા બંધ, એટલે કોઈ દેખાયું નહિ. હું બીજા માળે થી જોતી હતી. વિચાર આવ્યો કે હું રોટલી આપતી આવું પણ મને ઘર ની બહાર જવાની સખત ના હતી. એટલે હું અચકાયી.બે ઘડી થોડી માણસાઈ આવી પણ પછી થયું, ગાય હોઈ કે બીજા પશુ, ભગવાન તો બધા ને માટે કશીક ને કશી વ્યવસ્થા કરી જ આપતા હોય છે. ભલે ગાય પાન ખાતી. જે ઈશ્વર ની ઈચ્છા.
પછી, જમણી બાજુ નજર કરી તો જોઈ ને રાજી થયી. બે કૂતરા આરામ થી એમની મસ્તી માં ઉંઘતા હતા. દુનિયા જગત ની કઈ ફિકર કે કોઈ નો પણ ખલેલ વિના આરામ ની ઊંઘ લેતા હતા.

-પ્રાચી ભટ્ટ
Have we domesticated the cow or has the cow domesticated us?… વિચાર કર્યા જેવું !!
LikeLiked by 1 person
સાચે એક વાર વિચાર વા જેવું જ છે,
હવે જલ્દી આ સમય વીતી જાય એવી પ્રભુ ને પ્રાથના છે.
LikeLike
Or he imparts strength to accept this “new normal”…
LikeLike
👌👌👌👌
LikeLiked by 1 person
🙏😊
LikeLike