ખુશીઓ નો ખજાનો માણસ પોતેજ છેં.

નાની નાની ક્ષણો જ જીવન બદલી નાખતી હોય છે અને આપણે લાંબા ગાળાની યોજના કરતા રહીએ છીએ.

નાની નાની ભૂલો કરી આપણે સંબધો તોડી નાખીએ છે અને પછી એજ સંબધો માટે આપણે આખી જિંદગી તરસિયે છીએ.

નાની નાની વસ્તુ ને ઘર માં ફરનીચર નું રૂપ આપી ખુશ થઈએ છીએ પછી ઝાડ નો છાંયડો ના મળે તો કુદરત ને ખરી ખોટી કહી આપીએ છે.

બધી વ્યક્તિ માં ભૂલો શોધી ને,બધા થી દુર થતો માણસ અંતે એટલું સમજી જાય કે સાચી ખુશીઓ નો ખજાનો માણસ પોતે જ છે. બસ નાની નાની વાત માં ખુશ થતા શીખે એમાં જ ખુશીઓ નો ખજાનો છે.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started